All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


Friday 30 August 2013

બંધારણનો અર્થ Bharat nu Bandharan-


બંધારણનો અર્થ 

Bharat nu Bandharan-Constitution Of India
ભારત એક સંઘ રાજ્ય છે. જેમાં ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ છે .ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી છે.
“દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ.”
*  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
* બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.
* ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.
* બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.
* બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા.
* જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.
* બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
* બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા.
* બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
* જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો.
* બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.
* ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૬ અનુચ્છેદ છે.
*  બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ તૈયાર કર્યું હતું.
* જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો.

બંધારણનું  આમુખ  

અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ કે  ભારતએ  સાર્વભોમ , બિનસાંપ્રદાયિક, સમાજવાદી , લોકશાહી પ્રજાસત્તાક  રાજય  બને  અને તેના બધા નાગરિકોને  સામાજિક, આર્થિક  અને રાજકીય ન્યાય મળે . વિચારો , વાણી , ધર્મ અને પૂજાની  સ્વતંત્રતા રહે . વ્યક્તિને  દરજજાની અને તકની  સમાનતા રહે . વ્યક્તિના  ગૌરવ અને રાષ્ટ્ની  એકાત્મકતા  અને અખંડીતાતા  જળવાઈ રહે તે માટે  ભાઈચારો  કેળવવાનો  દઢ સંકલ્પ  કરીને  અમારી બંધારણ  સભામો  આજે  ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના  દિવે છે. આ બંધારણ  અપનાવીએ  છીએ  . સમાજવાદી , બિનસાંપ્રદાયિક  અને અખંડિતતા જેવા શબ્દો ૪૨માં  બંધારણીય  સુધારા દ્વારા  ૧૯૭૬ માં  ઉમેરવામાં  આવ્યા .
બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
26 નવેમ્બર, 1949 ના રોજ

બંધારણને બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?
2 વર્ષ , 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા .

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

બંધારણી કઈ અનુસૂચિમાં ભારતની સતાવાર ભાષાઓની યાદી આપવામાં આવી છે ?
આઠમી અનુસૂચિમાં

ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર ક્યાં રાજ્યમાં સ્થાપવામાં આવી હતી ?
કેરલમાં

એડવોકેટ જનરલની નિયુક્તિ કોણ કરે છે ?
રાજ્યપાલ

મધ્યપ્રદેશની હાઇકોર્ટ ક્યાં આવેલી છે ?
જબલપુરમાં

રૂપિયા સોની નોટ પર સો રૂપિયા એમ કેટલી ભાષામાં લખાયેલું હોય છે ?
15 ભાષામાં

પક્ષ પલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે ?
52 મો સુધારો

ક્યાં બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી કાઢી નંખાયા ?
44 મો બંધારણીય સુધારો

No comments:

Post a Comment